નવી દિલ્હી: દિલ્હીની વિધાનસભા (Delhi Assembly Elections 2020ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. નેતાઓની નિવેદનબાજી પણ ચરમસીમાએ છે. આવા જ ભડકાઉ નિવેદન આપનારા ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ શર્મા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બંને નેતાઓને તત્કાળ પ્રભાવથી સ્ટાર પ્રચારકોની યાદીમાંથી કાઢવાનો પાર્ટીને આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના નિવેદનોની આકરી ટીકા થઈ રહી હતી. ચૂંટણી પંચે ફરિયાદ બાદ કડક કાર્યવાહી કરી. આપત્તિજનક ભાષામાં શાહીન બાગ પર ટ્વીટ કરવા બદલ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા ઉપર પણ પંચ બે દિવસનો પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતાઓના વાણી વિલાસ પર ચૂંટણી પંચ કડક
ભાજપના નેતાઓના આ વાણીવિલાસ પર ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ભાજપના નેતાઓને જારી કરેલી નોટિસમાં તત્કાળ પ્રભાવથી કેન્દ્રમાં મંત્રી અનુરાગ ઠાકુર અને વેસ્ટ દિલ્હીથી સાંસદ પ્રવેશ વર્મા પર કાર્યવાહી  કરતા પ્રચાર પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. પંચે તત્કાળ પ્રભાવથી બંને નેતાઓને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...